બનાસકાંઠા જીલ્લામાં સતત પાણીના તળ નીચે જઇ રહ્યાં છે ત્યારે પાણીની અછત વચ્ચે લોકોને ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય પણ પડી ભાગે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
આથી બનાસ ડેરી અને લોકભાગીદારીથી તળાવ ઊંડા કરવામાં આવી રહ્યા છે ત્યારે બુધવારે ડીસા તાલુકાના વિરૂણા ગામે બનાસ ડેરીના અધિકારીઓ, ગામના સરપંચ તેમજ દુધ મંડળીઓના ચેરમેન, મંત્રીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં તળાવ ઉંડુ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
From – Banaskantha Update