બનાસકાંઠામાં ગામડાઓને કોરોના મુક્ત બનાવવા સેનેટાઇઝેશનનું કામ પૂર જોશમાં

- Advertisement -
Share

બનાસ ડેરીના સહયોગથી થરાદ તાલુકાઓના ગામડાઓમાં ટ્રેક્ટર મારફત સેનેટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાઇ

કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે ગામડાઓને કોરોના મુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલા અભિયાનમાં સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઇ છે.

 

 

 

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ ડેરીના સહયોગથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સેનેટાઇઝેશનની પ્રક્રિયા પૂર જોશમાં ચાલી રહી છે. થરાદ તાલુકાના વિવિધ ગામડાઓમાં ટ્રેક્ટર મારફત સેનેટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગામની દૂધ ડેરી, બેંક, જાહેર સ્થળો સહિત લોકોની વધુ અવર-જવર હોય તેવા વિસ્તારોમાં પ્રથમ સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.

જે વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હોય અને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યા હોય તે તમામ વિસ્તારોમાં તથા ગામના તમામ ઘરોને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનો પણ કામગીરીમાં ખુબ સારો સહકાર આપી રહ્યાં છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!