હાલમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ બનાસકાંઠા જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનહિત માટે નિર્યણ લેવાયો,
જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય તેમજ નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય તે માટે સરકારની સુચના અનુસાર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરા કેન્દ્રો આગામી તા. 15/15/2021 સુધી નાગરિકોના હિતમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં અગત્યની જરૂરીયાત જણાય તો કચેરીના વડાનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલે અખબારી યાદીમાં જણાવ્યું.
From – Banaskantha Update