થરાદમાં સરકારી હોસ્પિટલ અને BHMS તબીબ પોતાના જીવના જોખમે સારવાર કરી રહ્યા છે

- Advertisement -
Share

મોટી હોસ્પિટલોમાં ફીવરના દર્દીઓની ઓપીડી નહીં લેવામાં આવતાં સરકારી હોસ્પિટલમાં રોજની 500થી વધુ ઓપીડી

બનાસકાંઠામાં કોરોના સંક્રમણ હર રોજ વધી રહ્યો છે. શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાઈ ચુકી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં શહેરની મોટી હોસ્પિટલોમાં ફીવરના દર્દીઓની ઓપીડી નહીં લેવામાં આવતાં સરકારી હોસ્પિટલમાં રોજની 500થી વધુ ઓપીડી નોંધાઇ રહી છે.

 

 

 

જેમાં આરોગ્ય સ્ટાફ 24 કલાક ખડેપગે રહી તબીબી સારવાર કરવામાં કોઇ કચાસ રાખતું નથી. ત્યારે શહેરમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી નાની-નાની ક્લિનિકના BHMS ડીગ્રી ધરાવતા તબીબો કોઈપણ જાતની પરવા કર્યા વિના બીમાર લોકોની સારવાર કરી રહ્યા છે.

 

 

 

જરૂર જણાય તો પેથોલોજી લેબોરેટરી રિપોર્ટ કરાવવા દર્દીઓને જવું પડતું હોય છે. બાકી સામાન્ય બીમારી ધરાવતા બીમાર માણસોને ઇન્જેક્શન, ગ્લુકોઝ બાટલો, ટેબ્લેટ આપી દર્દીઓને સારવાર આપી રહ્યા છે. જેમાં ગરીબ લોકોને મોટી રાહત મળી રહી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!