બનાસકાંઠા જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક દિન-પ્રતિદિન વધવા લાગ્યો છે. જેના પગલે હોસ્પિટલોમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ કોરોના મહામારીને પહોંચી વળવા હોસ્પિટલોના ડોકટરો સાથે મીટીંગ યોજી સુવિધાઓ પુરી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લાની મુખ્ય ગલબાભાઈ ચેરીટીટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચી વળવા 10 ટનની ટેન્કનો નવો ઓક્સિજન પ્લાન્ટ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ઓક્સિજનની અછચ સર્જાઈ હોવાના અહેવાલો જોવા મળતા હતા. ત્યારે બનાસકાંઠામાં પણ હોસ્પિટલોમાં જગ્યાના અભાવે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું.
ત્યારે જિલ્લા મથકની મુખ્ય હોસ્પિટલ ગણાતી ગલબભાઈ ચેરિટી ટ્રસ્ટ સંચાલિત બનાસમેડિકલ હોસ્પિટલમાં પણ દર્દીઓનો સતત ઘસારાને પગલે 126 બેડની સામે 200 બેડ વધારી સેવાઓ પુરી પાડવામાં આવી રહી હતી.
જેમાં પી.જે ચૌધરી બનાસ મેડિકલ કોલેજ ચેરમેને જણાવ્યું હતું કે હાલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. ઓક્સિજનની સુવિધા પૂરી પાડવા માટે હોસ્પિટલ દ્વારા સિવિલ હોસ્પિટલમાંજ મીની ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી 300 બોટલ ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યામા સતત વધારાને પગલે હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.
દર્દીઓને ઓક્સિજનની સુવિધા પૂરી પાડવા માટે 10 ટનની ટેન્ક વસાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે અને બનાસમેડિકલ અને બનાસડેરી દ્વારા જિલ્લામાં કાયમી ઓક્સિજનની સુવિધા માટે નવો ઓક્સિજન પ્લાન્ટ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
From – Banaskantha Update