બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભર ઊનાળે કેનાલોમાં પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી વર્તાઈ રહેતી હોય છે. જેમાં મોટા ભાગના કુવા અને બોરના પાણી ઊંડા ઉતરી ગયા છે. જેને લઈ ખેડૂતો ખેતીને લઇ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આજે લાખણી, દિયોદર, થરાદ અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદન આપી સુજલામ સુફલામમાં પાણી છોડવા માંગ કરી હતી.

 

 

 

 

ભર ઉનાળે પાણીની અછત સર્જાતા લાખણી, દિયોદર, થરાદ અને કાંકરેજ તાલુકાના ખેડૂતો પાણીને લઈ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ સુજલામ સુફલામનું પાણી કેનાલોમાં ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

 

 

 

ઉનાળામાં બાજરી જેવા પાકો પાણીની અછના લીધે મુરઝાઇ ગયા છે. ત્યારે કેનાલોમાં ઓછા પાણી પ્રેશરના કારણે છેવાડાના ખેડૂતોને જરૂરિયાત સમયે પાણી ના માળતા સરહદી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈ ખેડૂતોને સત્ત્વરે પાણી મળે તે અંગે આજે માલમલતદારને આવેદન આપી પાણી છોડવા માટે માંગ કરી હતી.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!