કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કંટ્રોલ માટે પાલનપુર ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પાલનપુર તાલુકાના સરપંચ એસોસિએશન સાથે બેઠક યોજાઇ હતી અને કોરોના સંક્રણમ અંગે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેકટરે જણાવ્યું કે, કોરોના સમય દરમિયાન સરપંચઓએ ગ્રામ્ય વિસ્તારમાં ખુબ જ સક્રિય રહી ગામડાઓને સાચવ્યા છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગામની બહારથી ગામમાં આવતા લોકો પર વોચ રાખવા યુવાનોની ટીમ બનાવવામાં આવે અને તેની તંત્રને જાણ કરવામાં આવે તો જ ગામડાઓમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાશે.
કલેકટરે વધુમાં જણાવ્યું કે, ગામડાઓમાં પરિવાર એક જ રૂમના ઓરડામાં રહેતો હોય છે એટલે જ્યારે પણ પરિવારમાંથી કોઇ સભ્ય સંક્રમિત થાય તો તેને અલગ રાખવા આઇસોલેશનની સુવિધા માટે દરેક ગામમાં કોવિડ કેર સન્ટર શરૂ કરવા તેમણે સરપંચઓને અનુરોધ કર્યો હતો. આ કોવિડ કેર સેન્ટરમાં ગામના કોરોના પોઝિટિવ વ્યક્તિને રાખવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
From – Banaskantha Update