જન્મતાની સાથે જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી : દીકરો જન્મ્યો છે આટલું સાંભળી માતાએ અંતિમ શ્વાસ લીધા

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામની અને રાજસ્થાનના હડમતિયા ગામે પરણાવેલી સરોજકુંવર કૃપાલસિંહ દેવડા સગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિત થયાં હતાં. પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનો કોરોના પોઝિટિવ આવતાં ધારપુર સિવિલ ખસેડાઈ હતી.

 

 

જ્યાં બેહોશ હાલતમાં દીકરાને જન્મ આપ્યો હતો. ભાનમાં આવ્યા બાદ દીકરો જન્મ્યો છે આટલું સાંભળી સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધા. આમ, જન્મતાની સાથે જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી હતી. ગુરુવારે મૃતદેહ તેમના વાલીવારસોને સોંપાયો હતો.

 

 

બાળકને ધારપુર મેડિકલ કોલેજમાં બેબીકેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું છે. ડો.હિરેન અને ડો.તેજશ દ્વારા સિઝેરિયન કરાયું હતું. બાળક કેર સેન્ટરમાં છે, તેનો કોરોના આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ એક-બે દિવસમાં આવ્યા બાદ વાલીવારસોને સોંપાશે. – પ્રો. ડો. માધુરી અલવાની, મેડિકલ કોલેજ ધારપુર

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!