વેપારી એસોસિયન દ્વારા જનતા કર્ફ્યુના બોર્ડ લગાવી શહેરીજનોને સહયોગ આપવા અપીલ કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં કોરોના બે કાબુ બન્યો છે. જિલ્લામાં પ્રતિદિન કોરોના આંક વધી રહ્યો છે. દરરોજના 200થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં મોટા ભાગના ગામો શહેરો સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ આવતીકાલથી સ્વયંભૂ બંધ રાખવા વેપારીઓ સહમત થયા છે અને તારીખ 23થી 27 એપ્રીલ સુધી જનતા કર્ફ્યુ લગાવાયું છે.
પાલનપુરમાં સતત કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુર વેપારી એસોસિયન દ્વારા એક અનેરું પગલું ભર્યું છે .જેમાં પાલનપુર શહેર વેપારી એસોસિયન દ્વારા જાહેર માર્ગ પર જનતા કરફ્યુના બોર્ડ લગાવ્યા છે. દિન-પ્રતિદિન કોરોના વધતા સંક્રમણને લઈ પાલનપુરમાં કોરોનાની ચેન તોડવા તારીખ 23થી 27 એપ્રીલ સુધી જનતા કર્ફ્યુ લગાવાયું છે. જેમાં પાલનપુર શહેરીજનોને જનતા કર્ફ્યુમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.