પાલનપુર 16 ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ દ્વારા કોરોના કહેરને લઇ અપીલ કરવામાં આવી છે. પ્રમુખે જણાવ્યું હતું કે, પહેલાના જમાનામાં રોલિયું પડવાથી ઘણાં લોકો મોતને ભેટતા હતા. જોકે, હાલની પરિસ્થિતિ તેનાથી પણ વધારે ખરાબ છે. ત્યારે હાલ સમાજના લોકો મોટી સંખ્યામાં કોરોના સંક્રમિતનો ભોગ.બની રહ્યા છે. જેના માટે ચિંતા કરવાની સમય આવ્યો છે.
સામાજિકમાં લગ્ન મરણ તેમજ અન્ય પ્રસંગોમાં ભીડ એકઠી ના કરવા તેમજ લગ્ન પ્રસંગોમાં સરકારી ગાઈડલાઈન મુજબ ઘરના લોકો દ્વારા જ કરવા અપીલ.કરવામાં આવી છે. મૃત્યુ પ્રસંગે લોકાચાર, સુવાળું, સથવારો, ભજન બંધ રાખવા પણ વિનતી કરાઈ છે.
પાટીદાર સમાજ સિવાય અન્ય સમાજ ના તમામ લોકો સાથે મળી આં મહામારી સામે લડત આપીએ સમાજને માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સહિતનું પાલન કરવા સમાજને કોરોના મહામારીથી બચાવવા 16 ગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખે અપીલ કરી છે.
From – Banaskantha Update