પાલનપુર માર્કેટયાર્ડ આવતીકાલથી ચાર દિવસ સુધી સદંતર બંધ : વધી રહેલા કોરોના કેસના કારણે નિર્યણ લેવાયો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે જેના કારણે સંસ્થાઓ હવે લોકડાઉન કરી કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં આજે પાલનપુર માર્કેટયાર્ડમાં વેપારીઓ અને સેક્રેટરીની બેઠકમાં ચાર દિવસનો સ્વૈચ્છિક બંધની જાહેરાત કરાઇ છે.

 

 

બનાસકાંઠામાં અત્યારે સૌથી વધુ કોરોના સંક્રમણ પાલનપુરમાં ફેલાઈ રહ્યું છે. જિલ્લામાં રોજના 100થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવે છે. જેમાંથી 50 ટકાથી પણ વધુ કેસ માત્ર પાલનપુર શહેરના જ છે.

જેને અટકાવવા માટે આજે પાલનપુર માર્કેટયાર્ડમાં વેપારી એસોસિયેશ પણ હવે આગળ આવ્યું છે અને આ કોરોનાની ચેન તોડવા માટે માર્કેટયાર્ડમાં ચાર દિવસનું સ્વૈચ્છિક બંધ રાખવાની જાહેરાત કરી છે.

 

 

જેમાં આજે પાલનપુર માર્કેટયાર્ડ ખાતે વેપારી એસોસીએશનની મીટીંગ મળી હતી. માર્કેટયાર્ડમાં આજુબાજુના ગામડાઓમાંથી અનેક ખેડૂતો અને વેપારીઓ માલની લે વેચ માટે આવતા હોય છે ત્યારે શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે વેપારી એસોસિયેશને ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જેમાં પાલનપુર માર્કેટયાર્ડ આવતીકાલથી એટલે કે 18 થી તારીખ 21 એપ્રિલ સુધી સદંતર બંધ રહેશે. જેથી કોરોનાના સંક્રમણને અટકાવી શકાય.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!