કોરોનાનું ગ્રહણ મંદિરો પર ફરી લાગ્યું : અંબાજી મંદિર ફરી એકવાર દર્શનાર્થીઓ માટે બંધ

- Advertisement -
Share

હાલની કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઈ આવતી કાલ તા.13/4/2021થી તા. 30/4/2021 સુધી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો ટ્રસ્ટે નીર્ણય લીધો.

 

 

સમગ્ર વિશ્વભરમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયેલ છે. આવતી કાલ તા.13/04/2021ને મંગળવારથી માં જગદંબાનું પાવન પર્વ ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થાય છે.

 

 

કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતું અટકાવવા અને યાત્રાળુઓના આરોગ્યને ધ્યાનમાં રાખી આવતી કાલ તા. 13/04/2021થી તા.30/04/2021 સુધી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવે છે.

 

 

વધુમાં ટ્રસ્ટ સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો, અંબિકા ભોજનલાય તથા ટ્રસ્ટ સંચાલિત અંબિકા વિશ્રામગૃહ અને જગદજનની પથિકાશ્રમ(હોલી ડે હોમ ) પણ તા. 13/04/2021થી તા.30/04/2021 સુધી બંધ કરવામાં આવે છે.

 

 

આપ સૌ બિન જરૂરી ઘરની બહાર ન નીકળો, સામાજિક અંતર રાખો, ફરજિયાત માસ્ક પહેરો, અને સરકારની કોવિડ-19ની સંપૂર્ણ ગાઈડલાઇનનું પાલન કરો એવી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ નમ્ર અપીલ કરે છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!