- પ્રદીપસિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર્સની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારે થઇ રહ્યો છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રદીપસિંહે ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી.
પ્રદીપસિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર્સની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી તમને બધાને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.