બનાસકાંઠા જિલ્લા કલેકટરના નિર્ણયથી વડગામ, પાલનપુર, કાંકરેજ, ડીસા અને દાંતા એમ કુલ-5 તાલુકાના 9 ગામોના લોકોને જુદા જુદા 10 જેટલાં સર્વે નંબરોમાં કુલ ક્ષેત્રફળ હે. 18-95-70 ચોરસ મીટર જમીન તળાવ માટે નીમ કરવામાં આવતા તળાવ માટેની કાયમી જગ્યા મળી.
તારીખ 01 એપ્રિલથી શરૂ થઇ રહેલા સુજલામ-સુફલામ જળસંચય અભિયાનમાં આ તળાવોને ગ્રામજનો ઉંડા કરાવી શકાશે. જે તળાવ ચોમાસાની ઋતુમાં ભરાય તેનાથી ગામની ભૂગર્ભ જળ સપાટી ઉપર આવશે તથા ગામની સુંદરતામાં પણ વધારો થશે.
જિલ્લાના પાંચ તાલુકાના 9 ગામમાં તળાવો માટે જમીન નીમ કરવામાં આવતા આ ગામના લોકોમાં આનંદ અને ખુશીની લાગણી પ્રસરી છે.
From – Banaskantha Update