થરાદના ધારાસભ્યએ 2015 અને 2017માં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા ગામોનું પુનવર્સન સત્વરે કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

- Advertisement -
Share

નાગલા, ડોડગામ અને ખાનપુર જેવા અતિગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક ધોરણે પુનવર્સન કરવા માંગ કરાઇ.

 

 

બનાસકાંઠા જિલ્લામાં 2015 અને 2017માં અતિવૃષ્ટિ અને પૂરથી ક્ષતિગ્રસ્ત થયેલ ગામોનું પુનર્વસન કરવા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

 

 

બનાસકાંઠા જિલ્લામાં 2015 અને 2017માં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં મોટાભાગના ગામોમાં અતિવૃષ્ટિના કારણે ભારે હોનારત સર્જાઈ હતી. તેમાં પણ થરાદ તાલુકાના નાગલા, ડોડગામ અને ખાનપુરમાં 10 – 10 ફૂટ પાણી ભરાઈ જતા આખા ગામ તબાહ થઈ ગયા હતા. અને લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

 

 

તેમજ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જોકે 2015 અને 2017માં અસરગ્રસ્ત ગામો નાગલા, ડોડગાવ અને ખાનપુર જે અતિ અસરગ્રસ્ત થયેલા લોકોને તત્કાલીન ધોરણે પુનવર્સન કરવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.

 

 

જો કે તે બાદ આજ સુધી આ અસરગ્રસ્ત લોકો માટે કોઈજ આયોજન ન થતા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અને ગામના લોકો માટે પુનર્વસન માટેની કામગીરી સત્વરે ચાલુ કરાય તેવી લેખિત રજૂઆત કરી છે.

 

From – Banaskanthha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!