પૈસાની તંગીએ લઇ લીધો અભિનેતાનો જીવ, રિક્ષામાંથી મળ્યો તેમનો મૃતદેહ :

- Advertisement -
Share

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તમિલ મૂવીઝના અભિનેતા વિરુતચાગાકંઠનું અવસાન થયું. તેની ડેડબોડી એક ઓટોમાંથી મળી આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું નિંદ્રામાં અવસાન થયું હતું, પરંતુ તેના મૃત્યુનું વાસ્તવિક કારણ તે બહાર આવ્યું નથી. તે “કાધર” ફિલ્મમાં જોવા મળ્યો હતો, જે બાદ તેને ઓળખ મળી હતી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેતાના માતા-પિતાનું થોડા સમય પહેલા અવસાન થયું હતું, ત્યારથી તે ચિંતિત હતો. આ દરમિયાન તેને ફિલ્મોમાં પણ કામ કરવાનું બંધ કર્યું હતું. આવી સ્થિતિમાં કમાણીનું કોઈ સાધન ન હતું, જેના કારણે અભિનેતાને ઓટોમાં સૂવાની ફરજ પડી હતી. કામના અભાવે તે માનસિક રીતે પણ પરેશાન હતો.

તમિલ મૂવી ડિરેક્ટર સાઇ ધિનાએ તેમને મંદિરમાં બેઠેલા જોયા ત્યારે વિરુતચાગાકંઠ સૌ પ્રથમ ચર્ચામાં આવ્યા. સાંઈ ધીના એ અભિનેતાને મદદ કરી અને તેને પોતાના ઘરે પણ રાખ્યો. આ સાથે સોશિયલ મીડિયા પર સાંઇ ધીનાએ અન્ય ડિરેક્ટરને પણ ફિલ્મોમાં કામ આપવા અપીલ કરી હતી, પરંતુ તેમને આ કામ મળ્યું નથી.

વર્ષ 2004 માં, વિરુત્ચાગકાંતે કાધર ફિલ્મથી તમિલ ફિલ્મોમાં એન્ટ્રી લીધી. જોકે, આ ફિલ્મમાં તેની ખૂબ ઓછી ભૂમિકા હતી, પરંતુ તેમનો એક સંવાદ લોકો જીભ પર છવાયેલો હતો તેણે ફિલ્મમાં કહ્યું હતું, “જો હું ફિલ્મોમાં અભિનય કરીશ તો હું ફક્ત એક હીરોની ભૂમિકા નિભાવીશ.” જોકે, પહેલી ફિલ્મમાં તેને નોટિસ કર્યા પછી વધારે કામ મળ્યું ન હતું. છેલ્લા સમયે તેમની પાસે ના તો નાની ફિલ્મોમાં કામ હતું ન તો પૈસા.

 

From –Banaskantha Update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!