બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની ઉંબરી-કંબોઇ વચ્ચેથી પસાર થતી બનાસ નદી પરના બ્રિજને ટેક્નિકલ ખામી હોવાથી રીપેરીંગ કામ ચાલુ કરાયું છે, જેમાં કલેકટર દ્વારા બ્રિજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ બ્રિજના બન્ને છેડાઓ પર ઊભી કરેલી લોખંડની ઈંગલોની આડસ થોડા દિવસ અગાઉ કોઈક વાહન અથડાતાં નમી છે અને આ આડસો અત્યારે પણ પડવાના વાંકે નમી ગયેલ છે અને ક્યારે પડે તે નક્કી નહિ.
જો જલ્દી આ આડસને ઉતારી રીપેર કરવામાં નહિ આવે તો મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે, શિહોરી PSI એસ.વી.આહીરે જણાવ્યું કે આ અકસ્માતા નોતરે તેવી રીતે ઈંગલો નમી ગઈ છે. વાહન ચાલકો અને રાહદારીની, ફરિયાદો આવે છે તેથી દીયોદર 3.ઈ.ને જાણ કરી છે. આ જગ્યાએ કોઇપણ જાતના ડાયવર્ઝન બોર્ડ કે નિશાન લગાવ્યા નથી.
From – Banaskantha Update