તાજેતરમાં જેતપુર ખાતે યુવતીની બરબરતાથી કરવામાં આવેલી હત્યાને પગલે ડીસામાં પાટીદાર સમાજના આગેવાનોએ સ્થાનિક નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
ગુજરાતમાં પાટીદાર સમાજમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના રોષ શું કારણ છે તાજેતરમાં જેતપુરમાં પાટીદાર સમાજની યુવતીની કરવામાં આવેલી કરપીણ હત્યા.
રાજ્યમાંથી અત્યાચારોના વધતા જતા બનાવોને પગની સરકાર દબાણમાં છે ત્યારે જીતપુરની ઘટના એ સરકારને એક વાર ફરી મુશ્કેલીમાં મૂકી દીધી છે. જેતપુરમાં સૃષ્ટિ રૈયાણી નામની યુવતી અને તેના ભાઇ પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલી સૃષ્ટિનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા ત્યારે આજે ડીસામાં પાટીદાર સમાજના આગેવાનોએ સ્થાનિક નાયબ કલેકટરને આવેદનપત્ર આપી સૃષ્ટિ રૈયાણી હત્યા કરનાર અસામાજિક તત્વોનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જ લાવવાની માંગ સાથે તાત્કાલિક ન્યાય માંગે છે.
From – Banaskantha Update