પાલનપુરમાં 3.50 લાખનો વેરો નહી ભરતાં ગઠામણ ગેટ વે શોપિંગની 45 દુકાનોને કરાઈ સીલ

- Advertisement -
Share

પાલનપુર નગરપાલિકાની વ્યવસાય વેરાની ટીમે 3 દિવસથી વેરો ન ભરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી 200થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે. જ્યાં સોમવારે અમદાવાદ હાઇવે નજીક આવેલા ગેટ વે શોપિંગની 45 દુકાનો સીલ કરવામાં આવી હતી.

 

 

પાલનપુર નાગરપાલિકાની ટીમે વેરો ન ભરનારા વેપારીઓને નોટીસ આપી કડક સૂચના આપી હોવા છતાં બાકીદારો વેરો ભરતા ન હોઇ પાલિકાની ટીમ દ્વારા તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

જ્યાં અમદાવાદ હાઇવે નજીક આવેલ ગઠામણ પાટીયા પાસેના ગેટ વે શોપિંગને નોટિસ આપવા છતાં રૂપિયા 3.50 લાખનો વેરો બાકી હોવાથી પાલિકાની ટીમે 45 દુકાનો સીલ કરી હતી.

 

 

આ અંગે વ્યવસાયવેરા અધિકારી નરેશ જોશીએ જણાવ્યું હતું કે, અગાઉ 225 જેટલા દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી. જેમાં ઘણા લોકો વેરો પાલિકા ભરી ગયા છે. હજુ સીલ મારવાની પક્રિયા ચાલુ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!