દિયોદરમાં રામજી મંદિરની પ્રતિષ્ઠાના દિવસે નગરજનો દ્વારા સ્વંયભૂ લોકડાઉન કરાયું હતું

- Advertisement -
Share

કોરોના મહામારી વધુ ન ફેલાય તે માટે રામજી મંદિરના પ્રતિષ્ઠાના દિવસે ગ્રામજનોએ બંધ પાળી પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો. પ્રતિષ્ઠા હોય એટલે સમગ્ર ગામજનો ભેગા થાય જેનાથી સોશિયલ ડિસ્ટન્સ ના જળવાય.

તેમાં માસ્ક વગર પણ લોકો આવી જાય ત્યારે આ પ્રતિષ્ઠામાં નગરજનોના ટોળા એકત્ર ન થાય તે હેતુથી દિયોદર ગામ દ્વારા સ્વંયભૂ લોકડાઉન પાળવામાં આવ્યો હતો.

પ્રતિષ્ઠામાં પૂજારી તેમજ આગેવાનો અગ્રણીઓ સહિતના લોકો જ હાજર રહ્યા હતા. તથા મેડીકલ સિવાયની તમામ દુકાનો બંધ રાખી લોકો પ્રતિષ્ઠાના દિવસે પોતાના ઘરમાં જ રહ્યા હતા.

દિયોદર રામજી મંદિરનો આજે ફાગણ સુદ ત્રીજના દિવસે પ્રતિષ્ઠા દિવસ હોવાથી આજે દિયોદર ગ્રામ પંચાયત સરપંચ અને ગામ આગેવાનો દ્વારા રામજી મંદિરના પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે નગરજનોને આહવાન કરવા એક સંદેશો આપવામાં આવ્યો હતો.

 

 

જેમાં માત્ર મેડિકલ સુવિધા ચાલુ રાખવા અપીલ કરવામાં આવતા, આજે દિયોદરની પ્રજાએ કોરોના વાઈરસ વચ્ચે એક દિવસ ફરી આખો દિવસ ઘરે રહી રામજી મંદિર નો પ્રતિષ્ઠા દિવસ ઉજવ્યો હતો. જેમાં આજે દિયોદરના તમામ નાના અને મોટા વેપારીઓ તેમજ સોસાયટીના દરેક પાન ગલ્લાના દુકાનો પણ બંધ રાખવામાં આવ્યા હતી. જેના કારણે એક દિવસ માટે દિયોદર શહેરમાં ફરી લોક ડાઉન જેવા દ્રષ્યો સામે આવ્યા હતા.

જેમાં વેપારીઓએ ઘરે રહી પોતાના આરોગ્યની ચિંતા સાથે એક ઉત્સવ માં પણ ભાગ આપ્યો હતો. જેમાં દરેક સમાજના લોકો જોડાયા હતા. જેમાં દિયોદરના રાજવી દ્વારા પણ દરેક દિયોદરની પ્રજાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!