પાલનપુર મુકામે રાજ્યના 1 લાખ યુવાનોને રોજગારી આપવાનો અનુબંધ કાર્યક્રમ યોજાશે

- Advertisement -
Share

રાજ્યના 1 લાખ યુવાનોને રોજગારી આપવાનો અનુબંધ કાર્યક્રમ આગામી સમયમાં રાજકોટ મુકામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાશે.

 

આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યસ્થાને અનુબંધ કાર્યક્રમ અને જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.

 

 

બેઠકમાં કલેકટરએ જણાવ્યું કે, વિવિધ રોજગાર ભરતી મેળાઓ અને એપ્રેન્ટિસ યોજનામાં જિલ્લામાં ખુબ સારી કામગીરી થઇ છે. તેમણે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓ I. T. I. ની મુલાકાત લઇ વિવિધ ટ્રેડ અંગે જાણકારી મેળવે તથા સ્કીલ ડેવલોપમેન્ટના કોર્ષ કરી રોજગારી મેળવે તે દિશામાં કામગીરી કરીએ.

 

 

અનુબંધ કાર્યક્રમમાં જી. આઇ. ડી. સી., શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉચ્ચ તથા ટેકનીકલ શિક્ષણ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની મહત્તમ ખાલી જગ્યાઓ મેળવી તેની નોંધણી કરાવી યુવાનોને રોજગારી આપવી એ આ રાજ્યવ્યાપી કાર્યક્રમનો ઉદેશ્ય છે.

 

 

અનુબંધ કાર્યક્રમ અંતર્ગત રોજગાર ખાતા દ્વારા વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવશે અને યુવાનો તથા નોકરીદાતાઓની ઓનલાઇન નોંધણી કરવામાં આવશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!