દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દી ટ્રેનના એક કોચમાં આગ લાગી. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ બતાવાયું છે. કોઈ પણ હાનિ થવાના હાલમાં સમાચાર નથી. તમામ વસ્તુઓ ધીમે ધીમે બહાર આવશે. ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી છે.
એન્જીનથી આઠમા કોચમાં આગ લાગી હતી. આગ લાગ્યા પછી આ કોચને અલગ કરી દેવાયો છે. ત્યારબાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને બોલાવી લેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.
નવી દિલ્હી-દેહરાદૂન જન શતાબ્દી ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગ્યા બાદ C-5 કોચને ટ્રેનથી અલગ કરવામા આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ એન.ડી.આર.એમ એન.એન.સિંહ સહિતના રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજીસુધી કોઈ ખુલાસો થયો નથી.
કોચમાં આગ લાગી ત્યારે તેમાં 35 મુસાફરો હતા. જોકે તાત્કાલિક તેમને અન્ય કોચમાં શિફ્ટ કરાયા હતા. ડી.સી.એમ દ્વારા જણાવવામાં આવ્યું કે આગની દુર્ઘટનામાં તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. તમામને દેહરાદૂન પહોંચાડવામા આવ્યા છે.
From – Banaskantha Update