ડીસાના ગાયત્રીનગરમાં બંધ મકાનને તસ્કરોને નિશાન બનાવ્યું

- Advertisement -
Share

ડીસા શહેરમાં આવેલ ગાયત્રીનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના–ચાંદીના દાગીના સહિત રૂા.67,500ની ચોરી કરી ભાગી છુટયા હતાં જ્યારે આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત જોઇએ તો જિલ્લામાં અવાર નવાર તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી મુદ્દામાલની ચોરી કરી ભાગી છુટવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે.

 

 

જ્યારે આવોજ એક બનાવ ડીસાના ગાયત્રી નગરમાં આવેલ રમેશભાઇ કરશનભાઇ પ્રજાપતિના માતા–પિતા મકાનને તાળુ મારી રમેશભાઇના મામાના ઘરે મળવા ગયેલ હતાં જ્યારે આ બંધ મકાનને ગત તા.13/02/2020ના મોડી રાત્રે નિશાન બનાવી મકાનમાં લોખંડની ટંકમાં રાખેલ સોના–ચાંદીના દાંગીના કિંમત રૂા.67,500ની ચોરી કરી ભાગી છુટયા હતાં. જ્યારે આ અંગેની જાણ રમેશભાઇને થતાં તેમણે ડીસા શહેર દક્ષિણ પોલીસે જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!