ધાનેરામાં વીજ કરંટનો ભોગ બન્યો કપિરાજ : તાત્કાલિક સારવાર મળતા કપિરાજનો જીવ બચી ગયો

- Advertisement -
Share

ધાનેરા ત્રિકોણીયા શોપિંગ સેન્ટર આગળ જી.ઇ.બી ની ડીપીમાં કપિરાજને આત્યંતિક કરન્ટ લાગ્યાની ઘટના સામે આવી સદનસીબે આજુબાજુના લોકો દોડી આવતા વિજલાઈન બંધ કરાવતા કપિરાજનો જીવ બચી ગયો હતો.

ઘાયલ કપિરાજને તત્કાળ જીવદયા રથ દ્રારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. કપિરાજ ઘાયલ થતા જીવદયા પ્રેમીલોકોની લાગણીને ઠેસ પહોંચી હતી.

તત્કાલ સારવાર આપતા કપિરાજનો જીવ બચી જવા પામ્યો હતો. કપિરાજના પુરા શરીરે આગ લગતા ઘાયલ થયો હતો સાથોસાથ વીજ કરન્ટનો ભોગ બનતા કપિરાજનું અન્ય ટોળું પણ નર્વસ થઈ બેસી ગયું હતું અને ટોળાના કપિરાજના મુખ પર દુઃખની લાગણી દેખાઈ રહી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!