નગરપાલિકાઓની ચૂંટણીને અનુલક્ષી હથિયાર અંગે કેટલાંક પ્રતિબંધ મુકાયા : કોઇપણ શસ્ત્ર ધારણ કરી ફરવુ નહીં

- Advertisement -
Share

રાજય ચૂંટણી આયોગ દ્વારા પાલનપુર, ડીસા, ભાભર, થરા નગરપાલિકાની વોર્ડ નં.1 (બીજી, ત્રીજી) અને ધાનેરા નગરપાલિકાની વોર્ડ નં.3(બીજી), કાંકરેજ તાલુકા પંચાયતની 14- માંડલા, દાંતીવાડા તાલુકા પંચાયતની 9- મોટીમહુડીની ચૂંટણી તા. 23-01-2021 ના રોજ જાહેરાત થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં સદરહું ચૂંટણી માટે મતદાન તા. 28-02-2021 ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા. 02-03-2021ના રોજ હાથ ધરાનાર છે.

 

 

તેમજ આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા.05-03-2021 ના રોજ પુરી થનાર છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જરૂરી પ્રબંધ કરવો આવશ્યક છે. જે ધ્યાને લેતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ભાભર, થરા નગરપાલિકાની વોર્ડ નં.1 (બીજી, ત્રીજી) અને ધાનેરા નગરપાલિકાની વોર્ડ નં.3(બીજી), કાંકરેજ તાલુકા પંચાયતની 14- માંડલા, દાંતીવાડા તાલુકા પંચાયતની 9- મોટીમહુડીમાં સમાવિષ્ટ. સમગ્ર વિસ્તારના હથિયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં કેટલાંક પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાય છે.

 

 

આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રે્ટ, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144થી મળેલ સત્તાની રૂએ નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. (1) પાલનપુર, ડીસા, ભાભર, થરા નગરપાલિકાની વોર્ડ નં.1 (બીજી, ત્રીજી) અને ધાનેરા નગરપાલિકાની વોર્ડ નં.3(બીજી), કાંકરેજ તાલુકા પંચાયતની 14- માંડલા, દાંતીવાડા તાલુકા પંચાયતની 9- મોટીમહુડીમાં સમાવિષ્ટ) સમગ્ર મતવિસ્તારમાં કોઇ વ્યક્તિને શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-2 ની વ્યાખ્યામાં આવતું કોઇપણ શસ્ત્ર ધારણ કરી ફરવુ નહીં.

 

 

તેમજ હથિયાર પોતાના રહેઠાણના સ્થળે સેફ કસ્ટડી રાખવા. (2) નીચે દર્શાવ્યા મુજબના વ્યક્તિઓએ ધારણ કરેલ હથિયાર પરવાના હેઠળ પરવાનેદારોના સંદર્ભમાં વ્યક્તિગત અને વિગતવાર સમીક્ષા કરીને તેમના હથિયાર જે-તે પોલીસ સ્ટેશનમાં જમા લેવા માટે પોલીસ અધિક્ષક બનાસકાંઠાને અધિકૃત કરવામાં આવે છે.

 

 

A. જામીન ઉપર છોડેલી વ્યક્તિઓ, B. ફોજદારી ગુનાઓ કર્યાની ભૂમિકાવાળા વ્યક્તિઓ, C. હુલ્લડના ગુનામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમ્યાન સંડોવાયેલ વ્યક્તિઓ, D. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ વ્યક્તિઓ, E. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બાધકરૂપ થાય તેમ હોય તેવા ઇસમો.

 

 

સદરહું આદેશ કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ તથા નાણાકીય સંસ્થાઓના સિક્યુરીટી ગાર્ડને લાગુ પડશે નહીં. આ હુકમ તા.28/01/2021 થી તા.02/03/2021 સુધી (બન્ને દિવસો સહિત) અમલમાં રહેશે. સદરહું આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!