બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેતે ઉત્તરાયણના તહેવારને અનુલક્ષી હથિયારબંધી અંગે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ

- Advertisement -
Share

01/2021 જાન્યુઆરી માસમાં ઉત્તારણનો તહેવાર આવતો હોય છે, જેથી આ તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 તથા જી.પી.એક્ટ કલમ 37/(1) મુજબનું હથિયારબંધી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક બનાસકાંઠા દ્રારા તા. 30/12/2020ના પત્રથી હથિયારબંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે, જે અન્વયે આ સમયગાળા દમ્યાન બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ જાનમાલને નુકશાન ન થાય તે હેતુથી સમગ્ર જિલ્લામાં નીચે જણાવેલ કૃત્યોની મનાઈ કરવાનું જરૂરી લાગે છે.

આનંદ પટેલ (I.A.S) જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ ક. 37(1) થી મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવાઇ છે.

(1) શસ્ત્રો દંડા, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર તથા કોઈપણ જાતના ચપ્પુ જે અઢી ઈંચથી વધારે લાંબુ છેડેથી અણીવાળુ પાનું હોય તેવા ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી, લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની મનાઈ.

(2) કોઈપણ શરીરને હાનીકારક અથવા સ્ફોટક પદાર્થ લઈ જવાની મનાઈ.

(3) પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેકવાના, નાખવાના યંત્રો સાધનો લઈ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની મનાઈ.

(4) સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની મનાઈ.

 

 

(5) વ્યકિત તેના સબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાવડવાની મનાઈ.

(6) લોકોએ બુમો પાડવાની ગીતો ગાવાની તથા વાધ વગાડવાની મનાઈ.

(7) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાની તથા ચિત્રો, નિશાનીઓ, જોહેર ખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાની અને અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથળી પડવાનો સંભવ હોય અથવા તેવા છટાદાર ભાષણ આપવાની તથા ચાળા વગેરે કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની દેખાડવાની તથા ફેલાવો કરવાની સમગ્ર બનાસકાંઠાની હકુમત હેઠળના વિસ્તારમાં મનાઈ ફરમાવી છે.

(8) સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય તેમજ જેને ઉપરી અધિકારીએ આવા કોઈપણ હથિયાર સાથે લઈ જવા ફરમાવ્યું હોય અથવા આવું કોઈ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય અથવા આવું કોઈ જવાની તેમને. (2) સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર જેવા કે સંગીન રાખવા પડતા હોય તેમને લાગુ પડશે નહિ. (3) જિલ્લા મેજીસ્ટ્રેટ/અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ અધિકશ્રીએ અધિકૃત કરેલ કોઈપણ અધિકારીઓએ જેને શારિરીક અશક્તિના કારણે લાકડી અથવા લાઠી લાથે રાખવાની આપેલ હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં.

 

 

આ જાહેરનામું તા 07/01/2021 થી તા.31/01/2021 સુધી અમલમાં રહેશે.

આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર ઇસમ ભારતના ફોજદારી અધિનિયમ સને.1860ની ક. 188 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક 188 તથા ગુ.પો. અધિ.ક. 135 મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!