ડીસા સહીત રાજ્યના 248 તાલુકામાં 8 જાન્યુઆરીએ કોરોનાની ટ્રાયલ વેક્સિનેશન અપાશે

- Advertisement -
Share

દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાઈરસ સંદર્ભે નાગરિકોને ટૂંક સમયમાં રસી ઉપલબ્ધ થવાની છે, ત્યારે આ રસીથી દેશના નાગરિકોને સુરક્ષીત કરવા માટે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓએ કરેલા આયોજન સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી. આ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના રસીકરણ સંદર્ભે ગુજરાતે કરેલા આયોજનની વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસીથી સુરક્ષિત કરવાના છે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ આયોજન કરી દેવાયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 4.33 લાખ સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર-નર્સ, મલ્ટીપર્પઝ વર્કરો, હેલ્થ વર્કરો, સ્વિપર, સુપરવાઇઝર સહિતના કર્મીઓને આવરી લેવામાં આવનાર છે.

 

 

 

નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને રાજ્યના અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી નહીં મળવાના પ્રશ્નો ઉદભવે છે તેવા સંજોગોમાં રસી અંગે લોકોને જાણકારી આપવામાં તકલીફો પડે છે. આવા સંજોગોમાં ઓફલાઇન વ્યવસ્થા ગોઠવવા સારુ પણ તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકનોલોજીની રસી 1000 લોકોને આપવા માટેનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. તે તમામને આ રસી આપી દેવાઇ છે. તેની કોઇને પણ આડઅસર જોવા મળી નથી. બીજા રાઉન્ડમાં પણ 300 નાગરિકોને આ રસી આપવામાં આવી છે.

રાજ્યના 33 જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં મોપ-અપ ડ્રાયરન રાઉન્ડની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઇ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લાઓમાં આ ડ્રાયરનનું આયોજન કરવા જણાવ્યું હતું. તે સંદર્ભે ગુજરાતે આગળ વધીને રાજ્યના 248 તાલુકાઓ અને 26 ઝોનમાં તાલુકા/ઝોનદીઠ ત્રણ વેક્સિનેશન સાઇટ ખાતે આ ટ્રાયલ રન 8 જાન્યુઆરીએ યોજવામાં આવશે.

 

 

 

ડો. હર્ષવર્ધને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજ્યો દ્વારા કરાયેલ કામગીરીને બિરદાવતાં કહ્યું કે, તમામ રાજ્યોએ દિન-રાત સતત મહેનત કરી છે અને કોઈપણ પ્રકારની કસર છોડતા નથી. તેના પરિણામે ભારતને કોરોના સંક્રમણને અટકાવવા ચોક્કસ સફળતા મળી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમના માર્ગદર્શન થકી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમયબધ્ધ આયોજન કર્યું. જેના પરિણામે આ સફળતા મળી છે. તેમણે ઉમેર્યુ કે, સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષમાં 1 કરોડ 3 લાખ 95 હજાર 278 કેસ થયા છે. તે પૈકી 2 કરોડ 16 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અન્ય દેશો કરતાં ભારતમાં રીકવરી રેટ 96.35 % અને મૃત્યુદર 1.45 % જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રીકવરી રેટ છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશમાં ટૂંક સમયમાં કોરોનાની રસી ઉપલબ્ધ થવાની છે. આ રસીથી નાગરિકોને સુરક્ષિત કરવા માટે આવતીકાલે સમગ્ર દેશમાં ડ્રાયરન યોજાશે, જેમાં તમામ રાજ્યોને સુચારુ રૂપે આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!