દિયોદર સ્થાનિક પોલીસના પેટ્રોલીગના દાવા પોકળ, ચોરીની વધુ એક ઘટના સામે આવી

- Advertisement -
Share

દિયોદરમાં ચોરો બેફામ કરી રહ્યા છે ચોરી અને પોલીસ આરામ ફરમાવી રહી છે, દિયોદરમાં આંતરે દિવસે ચોરીની ઘટના બની રહી છે ત્યારે લાગી રહ્યું છે કે દિયોદર પોલીસના પેટ્રોલિંગના દાવા ફક્ત લોકોને મુર્ખ બનાવા માટે જ છે જો હકીકતમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે તો ચોર એમની નાક નીચેથી આંતરે દિવસે ચોરી કેવી રીતે કરી રહ્યા છે તેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે.

 

 

 

દિયોદરમાં ચોરીનો સિલસિલો યથાવત: લક્ષ્મીપુરા વિસ્તારમાં ત્રણ મકાનમાં ચોર ટોળકીએ નિશાન બનાવ્યાની ઘટના સામે આવી ચોરોએ ઘરમાંથી ગેસના બાટલા, મોટર સાયકલ અને પાણીની મોટર ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું. બે દિવસ અગાઉ દિયોદરના એક શોપિંગ સેન્ટરની બે દુકાનમાં થઈ હતી ચોરી જયારે આજે લક્ષ્મીપુરા વિસ્તારમાં વધુ ત્રણ મકાનમા ચોરી થતા પોલીસ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

 

 

 

વારંવાર બનતી ચોરીની ઘટનાઓ અને ઠંડીના માહોલમાં તસ્કરો બેફામ બનતા દિયોદરના રહીશોમાં ફફડાટ જાગ્યો અને પોલીસ પેટ્રોલિંગના પોકળ દાવા કરતી હોવાથી રહીશોએ પોલીસ પર રોષ ઠાલવ્યો.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!