સેનામાં ફરજ બજાવતા વધુ એક ગુજરાતી જવાન શહીદ થયા છે. તેમના પાર્થિવ દેહને ટુંક સમયમાં જ માદરે વતન લાવવામાં આવશે.
ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવના બનાસકાંઠાના જવાન શહીદ થયા. પાલનપુર તાલુકાના મોટા ગામના જવાન શહીદી વહોરી લીધી છે. હાલ તેમના પાર્થિવ દેહને ટુંક સમયમાં જ માદરે વતન લાવવા માટે કવાયત હાથ ધરાઈ રહી છે. શહીદના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવશે.
પાલનપુરના મોટા ગામના લાલસિંહ હડિયોલ દેશની સેવામાં શહીદ થતા ગ્રામજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. થોડા દિવસની બીમારી બાદ ચાલુ ફરજ પર તેઓ શહીદ થયા.
From – Banaskantha Update