સુજલામ સુફલામ કેનાલમાં પાણી ના આવતા લાખણી તાલુકાના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતો કેનાલની વચ્ચે બેસીને રામધુન બોલાવી તંત્ર સામે રોષ દર્શાવ્યો. સુજલામ સુફલામ કેનાલમાં પાંચ વર્ષમાં માત્ર 3 ત્રણ વાર જ પાણી આવ્યું પાંચ તાલુકાને જોડતી કેનાલ પાણી વગર કોરી ધાકોર રહેતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી વ્યક્ત કરી હતી.
ખેડૂતોએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવી કેનાલમાં પાણી આપવા માંગ કરી હતી. ધરણા પર બેઠેલા ખેડૂતોને રોકવા આગથલા પોલીસે અટકાયત કરી હતી.
From – Banaskantha Update