ધાનેરાના વેપારીઓમાં હાઇવેની કામગીરી બાબતે ઉગ્ર રોષની લાગણી, સર્વિસ રોડ આપ્યા વિના દુકાન આગળ માટી નાખી દેતા દુકાન પર અવરજવર થઈ બંધ. રોડ કોન્ટ્રાક્ટરની મનમાની અને અધિકારીઓની ઢીલી નીતિથી દુકાનદારો અને લોકોને પડી રહી છે હાલાકી. આ ઉગ્ર રોષને લઇ આજે ધાનેરાના વેપારીઓએ મહેશ્વરી પાલર હાઇવેને કર્યો ચક્કાજામ. ધાનેરામાં પુલનું નિર્માણ ગોકળગતિએ આગળ વધતા વાહન ચાલકો પણ 10 મહિનાથી થયી રહ્યા છે હેરાન, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેધારી નીતિથી વેપારીઓ ચક્કાજામ કરવા બન્યા મજબુર.
- Advertisement -