ગુજરાતમાં મહામારી અને બેરોજગારીનો બેવડો માર યુવકોને વધુને વધુ કમજોર બનાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અર્થોપાર્જનની સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે.
બેરોજગારીએ એક યુવકના જીવનનો ભોગ લીધો છે. પાટણના સિદ્વપુરમાં બેરોજગારીથી કંટાળી યુવકે આપઘાત કર્યો છે. ચિરાગ વાઘેલા નામના એન્જિનિયર આપઘાત કર્યો છે. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ નોકરી ન મળતા હતાશ હતો. હતાશામાં ચિરાગે આપઘાતનું અંતિમ પગલું ભર્યું છે.