રઘુવંશી દેશી મહાજન દિયોદર દ્વારા મયુર ઠક્કર ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો
અગાઈ પણ આવા અનેક એવોર્ડ લઈ સન્માનિત થઈ ચૂક્યા છે..
રઘુવંશી સેવા સમાજ ગુજરાત આયોજિત ૩૭ માં સમૂહલગ્ન શ્રી રઘુવંશી દેશી લોહાણા મહાજન ના યજમાન પદે દિયોદર ખાતે યોજાયેલ જેમાં ગૌ રક્ષા રાષ્ટ્રરક્ષા માટે સમર્પિત થયેલ મયુર ઠકકર ને દિયોદર રઘુવંશી રત્ન એવોર્ડ આપી સન્માનિત કરેલ મયુર ઠક્કર એનિમલ વેલફેર બોર્ડ ભારત સરકાર માં સ્ટેટ્ ઓફિસર તેમજ ગૌ રક્ષા દળ ગુજરાત ના અધ્યક્ષ પદે અને એ.પી.સી.એ.માં ડાયરેક્ટર પદે સેવા આપી રહેલ છે અને અગાઉ પણ અનેક એવોર્ડથી સન્માનિત થયેલ છે
જેમાં ગૌસેવા આયોગ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગૌરક્ષક એવોર્ડ શ્રી પર્યાવરણ ભારતી દિલ્હી દ્વારા રાષ્ટ્રીય એનિમલ એવોર્ડ શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા આંતરરાષ્ટ્રીય ગૌરક્ષક એવોર્ડ શ્રી મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ દ્વારા ગુજરાતી ગૌરવ એવોર્ડ તેમજ સુરત લોહાણા મહાજન દ્વારા રઘુવંશી રત્ન એવોર્ડ શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા વીર દાદા જશરાજ એવોર્ડ આપી સન્માનિત કરેલ મયુર ઠકકર જેવો ગોરક્ષા નું સમગ્ર ગુજરાત અભિયાન ચલાવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં કતલખાને જતી ગૌમાતા બચાવી મયૂર ઠકકર એવોર્ડ આપી સન્માનિત થતા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના દિયોદર લોહાણા સમાજમાં આનંદની લાગણી છવાઈ હતી..