ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. જો કે લોકો માટે આ હર્ષનો ઉત્સવ અબોલ પક્ષીઓ માટે ઘાતક સાબિત થયો હતો. પાટણમાં 68 જેટલા પક્ષીઓ પતંગના દોરાથી ઘવાતા મોતને ભેટ્યા હતા, જ્યારે 145 પક્ષીઓ ઘાયલ થયા હતા. આજે મોતને ભેટેલા પક્ષીઓની શહેરના સ્ટેશન રોડ ખાતેથી જીવદયા પ્રેમીઓ દ્વારા અંતિમયાત્રા નીકળવામાં આવી હતી. ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી. પાટણમાં જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓ બચાવવા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી હતી .
- Advertisement -