બનાસકાંઠામાં રોડ પર રખડતા ઢોર માંથોનો દુખાવો બની ગયા છે ત્યારે વારંવાર જાગૃત નાગરીકો દ્વારા સત્તાધીસોને રજુઆતો અને તેમને જાગૃત કરવામાં આવવા છતાં અધિકારીઓ વારંવાર રખડતા ઢોરની સમસ્યાની કાયમી ઉકેલ ગોતવાની જગ્યાએ ન પકડવા માટેના રોજેરોજ અવનવા બહાના ગોતે છે
જયારે પાટણ પાલિકા દ્વારા પકડવામાં આવેલા 22 ઢોર ખલીપુર પાંજરાપોળ ખાતે મંગળવારે મોકલી અપાયા હતા. તાજેતરમાં 16 અને 17 ડીસેમ્બરના દિવસોમાં પાલિકા દ્વારા 55 જેટલા ઢોર પકડી પાડયા હતા જે પૈકી 13 ઢોર તેના માલિકો નગરપાલિકામાં દંડ ભરીને છોડાવી ગયા હતા જેમાં પાલિકાને રૂ. 14000 દંડ વસુલાત મળી હતી.10 પશુઓને ગૌસેવા આયોગ ગાંધીનગરની ભલામણ મુજબ વ્યારા ખાતે ખેડુતોને ખેતી માટે આપવામાં આવ્યા હતા તેમ પાલિકા ઢોર ડબ્બા શાખાના જયેશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું.